શ્રાદ્ધ નિમિતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે 

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવસેવાશ્રમપાલારા કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઈ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. 

સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ નિયમિત નાખી કિડીયારોપણપૂરવામાં આવે છે. 

શ્રાદ્ધ પ્રસંગે આવા પુણ્યનાં કાર્યો કરવા ઇચ્છુક દાતાશ્રીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ ફોનઃ ૨૨૪000 અથવા મો. ૯૯૧૩૦૨૯૮૦૦ પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ મહેશ્વરીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું