શ્રાવણી અમાસની થઇ અનોખી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શ્રાવણી અમાસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

નાનુબેન દેવજી નારાણ પટેલ, સ્વ. નારાણબાપા હસ્તે મીનાબેન પટેલ, આઇયાનગર મહિલા મંડળ-માધાપર, સ્વ. યશ મુકેશ જોશી-માધાપર, નિતેશભાઈ ગઢવી-ભુજ, સ્વ. અ.સૌ. કલાવંતીબેન પંડયા દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન કરાવી શ્રાવણી અમાસ ઉજવી હતી.

માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પંકજ કુરવા, દિલીપ લોડાયા, મહેશ ઠક્કર, વાલજી કોલીએ આભાર વ્યક્ત કર્યો હતો.