માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી સ્વ. કુસુમબેન કાંતિલાલ લગધીર ચૌહાણનાં આત્મશ્રેયાર્થે તેમનાં પુત્ર નીલેશભાઇ ચૌહાણ માધાપર દ્વારા બે દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હવે અમો માર્ગો ઉપર હરી-ફરી શકશું. આ પ્રસંગે ઉપસ્થત સર્વેને માસ્ક વિતરણ કરાયા હતા.
અત્યાર સુધી ૩૬૭ દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ટ્રાયસિકલો પૂરી પાડવામાં આવી છે. પ્રબોધ મુનવર, અરવિંદ ઠક્કર, મુળજીભાઇ ઠક્કર, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, દિપેશ ભાટિયા આ અવસરે ઉપસ્થત રહ્યા હતા.