ઇન્દીરા કલબ ભુજ, ભારતીય સેવા મંડળ અને ઇન્નરવ્હીલ કલબ ભુજ દ્વારા માસ્ક સીવડાવી માનવજ્યોત સંસ્થાને અર્પણ કરાયા હતા. ઉષાબેન અમૃતલાલ ઠક્કરે જરૂરતમંદ લોકોને આપવા માસ્ક માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને આપ્યા હતા.
ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને આખા દિવસનું ભોજન પણ અપાયું હતું.