માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને બપોરનાં ભાગે ફુડ પેકેટો પહોંચાડાયા હતા.
શ્રી વાગડ બે ચોવીસી જૈન યુવક મંડળ ભુજ પ્રમુખ શ્રી મહેશ રાજપાર મહેતા, મંત્રી અશ્વિનભાઇ પારેખ તથા કાર્યકરોએ પૂરી-શાકનાં ૧૫૦ પેકેટો તૈયાર કરી માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડ્યા હતા. કપીરાજ હનુમાન મંદિર – મીરઝાપરનાં તરૂણભાઇ દરજી, હર્ષદભાઇ સુથાર અને મિત્રોએ ૨૦૦ લોકો માટે ગરમ દાળ-ભાત, માધાપરનાં સ્વામિનારાયણ નગરનાં ભાઇ-બહેનોએ ૨૦૦ લોકો માટે શીરો માનવજ્યોતને આપતાં આ ત્રણે સ્થળેથી મળેલ ગરમા-ગરમ રસોઇ ગરીબો સુધી પહોંચાડવામાં આવતાં ૫૦૦ લોકો બપોરનું ભોજન ભરપેટ જમ્યા હતા.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, નીરવ મોતા, અક્ષય મોતા, રફીક બાવા, રાજુ જાગી, નરેશ તાજપરિયા તથા ઇરફાન લાખાએ સંભાળી હતી.
જીતેન્દ્ર ધારશી શાહ ભરત સંઘવી, અશોક ખંડોલ, વિનોદ મહેતા, વાડીલાલ મહેતાએ વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો.