માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આવી કપરી પરિસ્થતિમાં છેલ્લા બે દિવસમાં બે બિનવારસ લાસોની અંતિમક્રિયા કરાઇ હતી. ઓરિસાનાં ૩૦ વર્ષિય યુવાનનું ગંભીર બિમારીનાં કારણે અવસાન થતાં અહીં તેનું કોઇ સગું-સાવકું નહોતા ‘બિ, ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા લાસ અંતિમક્રિયા કરવા માનવજ્યોતને જાણ કરાઇ હતી.
મધ્યપ્રદેશનાં ૧૮ વર્ષીય યુવાનનું ખાસરા ગ્રાઉન્ડ ઝુંપડપટી વિસ્તારમાં અવસાન થતાં તેનું અહીં કોઇ સ્નેહી ન હોવાથી ‘એ, ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા લાસ અંતિમક્રિયા કરવા માનવજ્યોતને સોંપાઇ હતી.
આ બંને યુવાનની અંતિમવિધિ માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, રસીક જાગી, તથા સામાજિક કાર્યકરો મહમદ લાખા,વિશ્રામ વાઘેલાએ કરી માનવતાનાં કાર્યમાં સહકાર આપ્યો હતો.