૨૦ મીઠાઇનાં વેપારીઓએ તૈયાર મીઠાઇ માનવજ્યોતને આપી દીધી મીઠાઇ કાર્ય વિતરણ ૩૦૦૦ લોકો સુધી પહોંચ્યો

કોરોના વાયરસનાં લીધે ૨૧ દિવસ સુધી લોકડાઉનની જાહેરાત પછી લોકોની મુશ્કેલીઓમાં મદદરૂપ બનવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા અનેક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો સેવા કાર્ય માટે આગળ આવ્યા છે. જીતેન્દ્રભાઇ ધારશીં શાહ તથા ભરતભાઇ સંઘવીને એક એવો વિચાર આવ્યો કે, ભુજનાં મીઠાઇનાં વેપારીઓની દુકાનોમાં માવા-દૂધમાંથી બનાવેલી તૈયાર મીઠાઇઓ પડી છે. જે બે ચાર દિવસ પછી બગડી જશે. પ્રેરણાદાયક અપીલ તેઓશ્રી દ્વારા કરવામાં આવતાં, તેને સુંદર પ્રતિસાદ મળ્યો હતો. વીસ જેટલા મીઠાઇનાં વેપારીઓએ પોતાની મીઠાઇની દુકાનો ખોલી દરેક મીઠાઇઓ માનવજ્યોત સંસ્થા ભુજને ગરીબો સુધી પહોંચાડવા આપી દીધી હતી. બપોર સુધીમાં ૧૫૦૦ કિલોથી વધુ મીઠાઇ એકઠી થઇ હતી. અમુક વેપારીઓ સામે ચાલીને મીઠાઇ માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચાડી હતી. મીઠાઇ ભરેલા વાહન જજીસ બંગલો પાસેથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ અને જીલ્લાનાં મુખ્ય ન્યાધિશ શ્રી આઇ.ડી.પટેલ તથા સચિવ શ્રી બી.એન. પટેલનું માર્ગદર્શન લઇ વિતરણ માટે શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ગરીબોનાં ઝુંપડાઓ અને ભૂંગાઓ સુધી પહોંચ્યા હતા. ભુજ અને ગ્રામ્ય વિસ્તારો સુધી આ મીઠાઇ ગરીબોનાં ઝુંપડા અને જરૂરતમંદો સુધી પહોંચી હતી. ૩૦૦૦ લોકોએ મીઠાઇનો સ્વાદ માણ્યો હતો. પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોનીએ સેવાઓ આપી હતી. વેપારી મિત્રોએ પોતાના વાહનથી મીઠાઇ ગામડાઓના જરૂરતમંદ સુધી પહોંચાડી હતી.

જીતેન્દ્ર ધારશીં શાહ, કલ્પેશ રવિવાલ પુજારા, હરેન્દ્ર શામજી ઠક્કર, વિનોદ ચુનીલાલ મહેતા, અશોક કાન્તીલાલ ઠક્કર, વાડીલાલ નેમજી મહેતા, વાગડ બે ચોવીસી સમાજ, રાવલવાડી જલારામ મંદિર,દિપેશ ભાટિયા, નીરવ મોતા, અક્ષય મોતા, ઇરફાન લાખાએ વિતરણ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.

માનવજ્યોત સંસ્થાએ પોતાની સેવાઓનો વ્યાપ વધારી, કોઇપણ ભૂખ્યો નસૂવે એ માટે કયાં પણ ૪ વ્યક્ત એકઠી ન થાય એવા નિયમનું પાલન કરી જરૂરતમંદ લોકો સુધી પહોંચી જઇ વિતરણ વ્યવસ્થાથી લોકોને નાસ્તો – ભોજન પહોંચાડ્યું હતું.