માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા લોક ઉપયોગી સેવાઓ શરૂ કરવામાં આવેલ છે. વિતરણ વ્યવસ્થામાં કયાં પણ ૪ જણા ભેગા થશે તો એ વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવશે. જીલ્લા વહીવટી તંત્રની સૂચના અને નિયમોનું કડક પાલન કરી, કરાવીને સેવા કાર્ય હાથ ધરાશે.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવા, તથા માનવજ્યોતના દિપેશ શાહ, દિપેશ ભાટિયા, ગુલાબ મોતા, મહેશભાઇ ઠક્કર, નીરવ મોતા, અક્ષય મોતા, શંભુભાઇ જાષી, કનૈયાલાલ અબોટી, ઇરફાન લાખા, રાજુ જાગીએ વિતરણ વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો.
૩૦૦ પરિવારોને વઘારેલી ખીચડી વિતરણ કરાઇ કોરોના વાયરસને લીધે ઉભી થયેલી પરિસ્થતિને ધ્યાને લઇ જુદા-જુદા વિસ્તારોમાં
ભૂંગા-ઝુંપડાઓ સુધી જઇ ૩૦૦ પરિવારોને વઘારેલી ખીચડી વિતરણ કરાઇ હતી.
૪૦૦ પરિવારોને સૂકો નાસ્તો અપાયો ભુજ અને ભુજ વિસ્તારનાં ૪૦૦ પરિવારો, જે રોજિંદી કમાઇ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમનાં ઘરે પહોંચી જઇ હાથો હાથ સૂકા નાસ્તાનાં પેકેટ અપાયા હતા.
૨૦૦ એસ.ટી. ડ્રાઇવર-કંડકટરોને ગ્લોઝ અપાયા ભુજ એસ.ટી. બસનાં ૨૦૦ ડ્રાઇવર-કંડકટરોને હાથમાં પહેરવાનાં ગ્લોઝ અપાયા હતા.
૩૫૦ લોકોને માસ્ક વિતરણ કરાયા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જઇ માસ્ક ન પહેરેલા અને રસ્તા ઉપરથી પસાર થતા લોકોને ઉભાળીને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા.
૩ હજાર લોકોને એલચી-કપૂર મિશ્રણ પડીઓ વિતરણ કરાઇ કપૂર અને એલચી ભુક્કાનું મિશ્રણ કરી તેનાં પેકેટ બનાવી ૩ હજાર લોકોને વિતરણ કરાયા હતા. કપૂર-એલચી મિશ્રણ સૂંઘવાથી દર્દ સામે રાહત મળે છે.
માસ્ક બનાવવા કાપડ ફ્રી ૧૦૦ માસ્ક તૈયાર કરાવી પોતાનાં ગામમાં વિતરણ કરનારને કાપડ ફ્રી આપવામાં આવશે. ટ્રેનો થંભી જતાં રેલ્વે સ્ટેશને ટ્રેન કર્મચારીઓને ભોજન પહોંચાડાયું રેલ્વે સેવા થંભી જતાં ભુજ રેલ્વે સ્ટેશને રખડી પડેલ તેમજ ભુખ્યા ૨૧ ટ્રેન કર્મચારીઓને સ્ટેશન મેનેજર કે.કે. શર્માની ઉપસ્થતિમાં ભોજન કરાવાયું હતું.