બરોબર સાંજના પાંચ વાગે વર્ધમાનનગરવાસીઓ પોત-પોતાનાં ઘરમાં ગેટ, બાલ્કની ઉપર પહોંચી જઇ ઘંટ-ઘંટડી, થારી-દાંડી વગાડી ડોકટરશ્રીઓ, પોલીસ તથા કોરોના સામે લડવા લોકોની સાથે રહેનારાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. દરેક પોતાના ઘરે રહી સેવા આપનાર સર્વેની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
સરપંચ જ્યોતિબેન વિકમશી, દિપક લાલન,રાહુલ મહેતા,હસમુખ વોરા, કવિતા ઝવેરી, નિતીન ઝવેરી, પ્રબોધ મુનવર, હેતલ મહેતા તથા રહેવાસીઓએ પોતાના ઘર પાસે ઘંટનાદ કર્યો હતો.