ભાનુશાલી યુવા ગ્રુપ ટ્રસ્ટ- માધાપર દ્વારા માનસિક દિવ્યાંગોની સેવા કરાઇ

ભાનુશાલી યુવા ગ્રુપ-ટ્રસ્ટ માધાપરે, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ, માનસિક દિવ્યાંગોને અલ્પાહાર કરાવી તેઓ સ્વસ્થ બની ઘર સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ભાનુશાલી યુવા ગ્રુપ ટ્રસ્ટ-માધાપરનાં શ્રી વિનેશ ભાનુશાલી, મનીષ ભાનુશાલી, મહેશ ભાનુશાલી સહિતનાં યુવાનો આ સેવાકાર્યમાં જાડાયા હતા.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, ગુલાબ મોતાએ આભાર વ્યક્ત કર્યો હતો.