મોલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સીટી હૈદ્રાબાદના પૂર્વ ચાન્સલર અને પરસોલી કોર્પોરેશન લી. નાં મેનેજીંગ ડાયરેકટર અને શ્રેષ્ઠવક્તા શ્રી જાફર સરેશવાલાને વડોદરા મધ્યે રૂબરૂ મુલાકાત કરી, ભુજમાં માનવજ્યોતની ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી પ્રબોધ મુનવરે આપતાં તેઓશ્રીએ ખુશ થઇ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી, કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, યુથ આપણો છે એવો દુનિયામાં કયાં પણ નથી. ધર્મ અને શિક્ષણ વિશે વાત કરતા કહ્યું હતું કે, ધર્મ લાઇટ છે. શિક્ષણ રોશની છે. પરિવાર જીવીત છે એટલે સમાજ જીવીત છે. દેશની એકતાને મજબૂત કરવા યોગદાન આપો. પાડોશીનો દર્દ પણ જાણો. એ પણ ભૂખ્યો ન રહેવો જાઇએ. દરેક વ્યક્તિ એકતા માટે અને બીજાનું દર્દ જાણવા કામ કરે. આ દેશમાં વિવિધતામાં એકતા છે. અલગ-અલગ ધર્મ-પોશાક-ભાષા છતાં સૌ ભારતીઓ એક છીએ. કયારેક કચ્છ જરૂર આવીશ તેવું તેઓશ્રીએ જણાવ્યું હતું.