મકરસક્રાંતિ પર્વ નિમિત્તે જુદી-જુદી સોસાયટી, ફળિયા, શેરી અને સંસ્થાઓમાં ધાબા ઉપર બપોરનાં ભોજન યોજાયા હતા. જેમાં વધી પડેલો ૩૦૦ કિલો ઉધીયું તથા મુઠીયા, ખાંડવી વિગેરે માનવજ્યોત સંસ્થાએ એકઠું કરી ગરીબોનાં ઝુંપડે વિતરણ કરતાં ૩ હજાર ગરીબોએ ઉધીંયાનો સ્વાદ માણી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. એમનાં નાના ભૂલકાઓએ પણ આનંદ માણ્યો હતો. કેટલાક યુવકો-યુવતીઓએ વધી પડેલ ઉધીયું દૂર-દૂરથી માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી અન્નનો થતો બગાડ અટકાવ્યો હતો.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, અક્ષય મોતા, નરેશ ટાપરીયા તથા ઇરફાન લાખાએ સંભાળી હતી.