કેન્દ્રીય વિદ્યાલય આર્મી-૨ દ્વારા બાળશ્રમયોગીઓને વિવિધ વસ્તુઓ અપાઇ

કેન્દ્રીય વિદ્યાલય આર્મી -૨ (આર.ટી.ઓ) ના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ વિજયકુમાર પાંચલના માર્ગદર્શન હેઠળ કપડા, રમકડા, શૈક્ષણિક સાધનો એકઠા કરી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત કોલીવાસ મધ્યે આવેલ શ્રી ભગવતીધામ વિદ્યા મંદિરનાં બાળશ્રમયોગીઓને અર્પણ કર્યા હતા. દિપાલી પર્વે એકઠી કરાયેલી દરેક વસ્તુઓ બાળકોને ખૂબ જ ઉપયોગી બનતાં બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રબોધ મુનવર, શંભુભાઇ જાષી, ચીમનલાલ જીવાણી, સલીમ શેખ તથા રાજેશ ત્રિવેદી, અભય સેન તથા વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉપÂસ્થત રહ્યા હતા.