માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મુન્દ્રા રોડ ઉપર આવેલ બટાલીયન-૭૯ બીએસએફ પ્રાંગણ મધ્યે કુંડા,ચકલી ઘર, કાપડની થેલીઓ વિતરણ કાર્યક્રમ સેન્ટ્રલ પબ્લીક વર્કસ ડીપાર્ટમેન્ટનાં સુપ્રિ. એન્જીનીયર શ્રી શૈલેષકુમાર ઉગ્રેચાનાં અધ્યક્ષસ્થાને તથા એÂક્ઝ. ઇન્જીનીયર અરૂણકુમાર સોની અને યુ.એસ. પુટ્ટા સાહેબનાં અતિથિ પદે યોજાયો હતો.
પ્રારંભે માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલ માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. શંભુભાઇ જાષીએ પ્રસંગ પરિચય આપતાં પર્યાવરણની જાગૃતિ અને જાળવણીની સમજ આપી હતી.
શ્રી શૈલેષકુમાર ઉગ્રેચા અને અરૂણકુમાર સોની અને એસ.કે. સિંઘે પ્રાસંગિક ઉદ્બોધન કરી વૃક્ષારોપણનો મહિમા સમજાવ્યો હતો.
ઉપÂસ્થત સર્વેને કુંડા, ચકલીઘર, કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ. બીએસએફ પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન શંભુભાઇ જાષીએ જયારે આભાર દર્શન અરૂણભાઇ સોનીએ કરેલ. વ્યવસ્થામાં પ્રવિણ ભદ્રા, કનૈયાલાલ અબોટી, ગૌરાંગ ગજ્જર અને મહેશ મારાજે સહકાર આપ્યો હતો.