વૃંદાવનનાં સંત શ્રી પાગલબાબાએ રામદેવ સેવાશ્રમની મુલાકાત લીધી

વૃંદાવનથી પધારેલા સંત શ્રી પાગલબાબાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ ખુશી વ્યક્ત કરી હતી. તેમની સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છનાં મહામંત્રી હરેશભાઇ પુરોહિત સાથે રહ્યા હતા.

વરસાણા વૃંદાવન વ્રજધામથી પધારેલા સંત શ્રી પાગલબાબાએ દરેક માનસિક દિવ્યાંગોનાં મસ્તકે હાથ ફેરવી તેઓ જલ્દી સ્વસ્થ બને તેવા આર્શિવાદ પાઠવતાં જણાવ્યું હતું કે, જુનું ભૂલી જાઓ. હવે જે થશે તે સારૂં થશે. વિતેલી વાતો ઉપર વિચારો નહીં. તમારા વિચારોએ તમને માનસિક દિવ્યાંગ બનાવી દીધા છે. વિચારોને બદલશો તો તમારામાં જલ્દી પરિવર્તન આવશે. મનથી માનસિક વિકલાંગો બનીને બેઠા છે. સૂતેલા આત્માને જગાવજા. વિચારોને અલગ કરો તમારા ચહેરા ઉપર સુંદરતા આવી જશે. ૩૮ માનસિક દિવ્યાંગોએ સંત શ્રી પાગલબાબાનાં આર્શિવાદ મેળવતાં તેમનાં ચહેરા ઉપર ખુશી જાવા મળી હતી.

કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે આભાર દર્શન શંભુભાઇ જાષીએ કરેલ. વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, દિલીપભાઇ ભટ્ટ, વાલજીભાઇ કોલી સહભાગી બન્યા હતા.