નખત્રાણા સાંઇ જલારામ મંદિરે કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓ વિતરણ કરાઇ

નખત્રાણા દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા માનવજ્યોત સંસ્થા-ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સહયોગથી કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓ વિતરણ કાર્યક્રમ નખત્રાણા દશનામ ગોસ્વામી સમાજનાં પ્રમુખ ગીરીશભાઇ ગોસ્વામી, નખત્રાણાના આગેવાન રાજેશભાઇ પલણ,  ગોસ્વામી યુવક મંડળનાં પ્રમુખ મુકેશપુરી ગોસ્વામી, તાલુકા મહિલા મંડળનાં પ્રમુખ સીમાબેન ગોસ્વામી, જે.આર. ગોસ્વામી, જાગૃતિબેન ગોસ્વામીનાં અતિથિવિશેષ પદે યોજાયો હતો. રમીલાબેન ગોસ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. હર્ષિદાબેન અને મંગળાબેન ગોસ્વામીએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું.

માનવજ્યોતના શંભુભાઇ જાષીએ માનવજ્યોતની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓની સમજ આપી હતી. માનવજ્યોતનાં પ્રમુખ પ્રબોધ મુનવરે ઉનાળાની કાળઝાળ ગરમીમાં  અબોલા પક્ષીઓનેં પાણી પીવાનાં  કુંડા તથા ચકલીઓ માટે સુરક્ષિત ચકલીઘર ઠેર-ઠેર ગોઠવી જીવદયાનું કાર્ય કરવા સમજ આપી હતી. પ્લાસ્ટીકનાં થેલી-ઝબલાનો ઉપયોગ બંધ કરી કાપડની થેલીઓનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન ભદ્રેશગીરી ગોસ્વામીએ જયારે આભાર વિધિ યોગેશપુરી ગોસ્વામીએ કરેલ. વ્યવસ્થામાં જાગૃતિબેન ગોસ્વામી, રમીલાબેન ગોસ્વામી,  હર્ષિદાબેન ગોસ્વામી, મંગળાબેન ગોસ્વામી, હિતેશ ગોસ્વામી તથા મહિલા મંડળનાં દરેક સભ્યોએ સહકાર આપ્યો હતો.