મધ્યપ્રદેશનાં ઉમરીયા જીલ્લાનાં હર્ષચોરા ગામની ૨૭ વર્ષિય યુવાન મહિલા બુલીદેવી, તેનાં પતિનાં અવસાનથી ભારે દુઃખી થઇ હતી અને માનસિક સમતુલા ગુમાવતાં તે ગુમ થઇ હતી.
પચ્ચીસ વર્ષમાં તે અનેક રાજ્યોમાંથી પસાર થઇ હતી અને સતત દુઃખ વેઠયું હતું. તેનાં પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. દશ દિવસ પહેલાં તે ટ્રેન મારફતે ભુજ સુધી આવી પહોંચી હતી. પગે ચાલી તે ખાવડા રોડ ઉપરની અનેક વાડીઓમાંથી પસાર થઇ તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સુધી પહોંચી હતી. ત્યારે તેની ઉંમર બાવન વર્ષ થઇ ચુકી હતી. આમ તે સતત પચ્ચીસ વર્ષ સુધી રસ્તે રઝડતી રહી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સિનીયર પેરા લીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે તેની રહેવા-જમવા અને સારવારની વ્યવસ્થા માનવજ્યોત સંસ્થા દ્વારા કરાવી હતી.
મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણીની માત્ર ૪ દિવસની સારવારથી તે સ્વસ્થ બની હતી. સંસ્થાનાં સામાજીક કાર્યકર રિતુબેન વર્માએ તેની પાસેથી માહિતી મેળવી મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું હતું. ખુશીનાં સમાચાર મળતાં જ પરિવારજનો હર્ષઘેલા બન્યા હતા.
પિતાની છત્ર છાયા ગુમાવનાર અને વર્ષોથી માતાની શોધ ચલાવનાર યુવાન પુત્ર ભારત કોલ તથા રાજકુમાર કોલ માતાને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. માતાને જાઇ તેઓ તેની પાસે દોડી ગયા હતા. અને માતા-પુત્ર એક બીજાને જાતા જ ગદ્ગદિ્ત થઇને ભેટી પડ્યા હતા. ત્યારે લાગણી ભીના દ્રશ્યો સર્જાયા હતા. આમ પચ્ચીસ વર્ષ પછી માતા ઘરે પાછી ફરતાં પરિવારજનોમાં ખુશી છવાઇ હતી.
માનવતાનાં આ કાર્યમાં કિશોરભાઇ કેનીયા, વિનોદ મારાજ, વાલજી કોલી, મહેશ મારાજ,બાબુલાલ જેપાલ, વિકાસ મેર તથા માનવજ્યોતની ટીમ સહભાગી બની હતી.