<p>લખપત તાલુકાનાં જાડવા ગામે રબારી બીજલ (લખમીર) ભાઇએ પોતાનાં પુત્ર વિશાલનાં જન્મદિન પ્રસંગે પોતાનાં ગામ જાડવા તથા આજુબાજુનાં ૧૦ ગામોનાં મંદિરો – શાળાઓમાં પક્ષીઓનાં પાણી પીવાનાં કુંડા તથા ચકલીઘર લગાડી જીવદયાનું કાર્ય કર્યું હતું.</p>
<p>માનવજ્યોતનાં પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ બિજલ ભાઇએ ૨૦૦ કુંડા અને ૫૦ ચકલીઘરોનું વિતરણ કરી એક અનોખો – પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. પોતાનાં સ્વહસ્તે કુંડા-ચકલીઘર લગાવ્યા હતા. અનેક તરસ્યા પક્ષીઓ આ કુંડાઓ ઉપર બેસી પાણી પી ને પોતાની તરસ છિપાવી શકશે. તો ચકલીઓને રહેવા સુંદર અને સુરક્ષિત ચકલીઘર મળ્યું હતું. લોકોએ પણ જીવદયાના આ કાર્યની પ્રશંસા કરી હતી.</p>