પર્યાવરણ સાથે રૂપકડી ચકલીઓને પણ બચાવીએ (૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ) – પ્રબોધ મુનવર

આજે ચકલીઓનું અસ્તિત્વ જાખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. લુપ્ત થઇ ગયેલા હોલા, કાગડા, પોપટ, કાબર, ગીધ, સમડી, કબુતર  પછી હવે  મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે.

એક હતો ચકો એક હતી ચકી વાર્તાર્ હવે ભૂંસાઇ રહી છે શહેરના બિલ્ડીંગોના ગાઢ વિસ્તારોમાં ચકા-ચકી પોતાનાં ઘરનું એડ્રેસ શોધતા-શોધતા એવા થાકી ગયા કે હવે તે એડ્રેસ વિનાના બની ગયા છે. આંગણાંમાંજ ચકલા-ચકલીઓનું ચીં… ચીં… સાંભળવા મળતું હતું એ હવે લુપ્ત થઇ ગયું છે. નાનકડું એવું પ્રેમાળ પક્ષી શહેરની ભૂલ ભૂલામણી વાળી ઉંચી ઇમારતો વચ્ચે એવું ગોટે ચડી ગયું કે હવે તે નાના બાળકોને જાવું પણ દુર્લભ બની ગયું છે. ગામડા અને શહેરોમાં મોટી સંખ્યામાં જાવા મળતું આ પક્ષી હવે લુપ્ત  થઇ રહ્યું છે.

દોડા દોડી અને ભાગ દોડ ભરી જીંદગીમાં અટવાઇ ચૂકેલ માનવી હવે ચકલીને શોધવા નીકળી પડ્યો છે.

વર્ષોથી પર્યાવરણ પ્રેમીઓ, પક્ષી વિંદ્‌ો કહેતા હતા કે, લુપ્ત થતી ચકલીઓને બચાવો…. પરંતુ આ શબ્દોને સાંભળવાની દરકાર માનવીને કયાં છે ? માનવીના કાને મોબાઇલનાં ઇયર ફોન  ભરાવેલા હોય છે.

છતાં ચકલી પ્રેમીઓએ ૨૦ મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ચકલીઓ માટે જાગૃતિની જરૂરત છે. આ નાના- પક્ષીને આપણે બચાવી શકતા નથી. કુદરતી વાતાવરણને નહીં ગણકારીએ તો ધીમે ધીમે આ કુદરતી વાતવરણ નાશ પામી જશે. કેટલીયે સંસ્થાઓ આ બાબતે ચિંતિત છે. ચકલીઓ અને અન્ય પક્ષીઓ માટે દરેક સોસાયટીઓમાં ચબૂતરા હોવા જરૂરી છે જયાં પીવાનાં પાણી અને ચણ (દાણા) ની વ્યવસ્થા પણ હોય જેથી વધારેને વધારે પક્ષીઓ આવતા થાય.

ચકલીઓ ઘાસ- રૂના કે અન્ય તણખલા વિણીને માળો બનાવતી હોય છે. નાની કે મોટી જયાં સુરક્ષિત જગ્યા મળે ત્યાં ચકલીઓ માળો બાંધે છે. પહેલાં માનવીનાં રહેણાંકના મકાનમાં ચકલીઓ વરા-વંજી વચ્ચે માળો બાંધી ઇંડા મૂકતી અને બચ્ચાં ઉછેર કરતી. પણ હવે મકાનો છતવાળા થઇ જતાં ચકલીઓને માળો બાંધવાની જગ્યા રહી નથી. માનવજ્યોત સંસ્થાએ રૂપકડાં માટીનાં ચકલીઘર બનાવ્યા છે જે ચકલીઓ માટે સુરક્ષિત ઘર સાબિત થઇ ચૂકયું છે. મકાન ઉપર, છત ઉપર, વૃક્ષોમાં કયાં પણ તેને લટકાવી શકાય છે. ચકલીઓ શરૂઆતમાં વિશ્વાસ કરશે નહીં. ધીમે ધીમે ચકલીઘરમાં આવ જાવ કરશે અને પછી ચકલીઘરમાં કલાત્મક માળું બાંધશે.  માનવજ્યોત સંસ્થા દ્વારા કચ્છનાં શહેરો અને ગામડાંઓમાં ઠેર-ઠેર આવા ચકલીઘરો મૂકાયા છે. જેની અંદર ચકલીઓ માળો બાંધે છે. આવા ચકલીઘરો ચકલી જેવા નાનકડા પક્ષીઓ માટે ઘર સાબિત થઇ ચૂકયા છે.

શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર મુંબઇની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ચકલી બચાવો અભિયાન ચાલુ કરાયું છે. જેને સફળતા મળી રહી છે. ધીરે ધીરે ચકલીઓ દેખાતી થઇ છે. તેમજ અમુક વિસ્તારોમાં ચકલીઓની આવજાવ વધી છે.

આજે  દિવસો દિવસ પ્રદુષણનાં કારણે ચકલીઓ અદ્રશ્ય થઇ રહી છે. દરેકે દરેક ઘરે એક ચકલીઘર અને એક પાણીનું કુંડું મૂકવામાં આવે તો જીવદયાનું બહું મોટું કાર્ય થાય. ચકલીઓ ફરી મોટી સંખ્યામાં દેખાતી થશે. ઉનાળાની કાળઝરતી ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી પીવા માટે મળે એ જરૂરી છે. એ માટે દરેક જાગૃત માનવી આગળ આવશે તો જ આપણે પક્ષીઓ સાથે રૂપકડી ચકલીઓને પણ બચાવી શકીશું.

માનવજ્યોત સંસ્થા છેલ્લા ૧૫ વર્ષથી ચકલીઘરો અને પાણીનાં કુંડા વિતરણ કરે છે. જેથી પર્યાવરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવી છે. પર્યાવરણ પ્રેમીઓ સાથે મોટી સંખ્યામાં લોકોએ પર્યાવરણ અને પક્ષીઓને બચાવવાની વાત સમજી છે.