ભુજ શહેર સીટી ટ્રાફિક પોલીસ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને ત્રણ ટાઇમનું આખા દિવસનું મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન કરાવાયું હતું.સીટી ટ્રાફિક પોલીસે માનસિક દિવ્યાંગોને સ્વહાથે ભોજન પીરસ્યું હતું. અને માનવ સેવાનો અનેરો લાભ લીધો હતો.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, દિપેશ શાહ, ગુલાબ મોતા, હિતેશ ગોસ્વામી, પ્રતાપ ઠક્કર, રિતુબેન વર્માએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.