અજીતનાથજી જિનાલય માંડવીની ૧૩૮ મી વર્ષગાંઠ ઉજવાઇ

વિકસતા માંડવી શહેરનાં બંદર રોડ ઉપર દરિયા કિનારે આવેલ શ્રી અજીતનાથજી પ્રભુજી જૈન જિનાલયની ૧૩૮ મી વર્ષગાંઠની ઉજવણી પ્રખર પ્રવચનકાર પ.પૂ. મુનિરાજ શ્રી પુર્ણભદ્રસાગરજી મ.સા. ની પાવનકારી શુભ નિશ્રામાં કરવામાં આવેલ. પ્રભુજીનાં અઢાર અભિષેકનો લાભ વિવિધ ૧૮ દાતાશ્રીઓએ લીધેલ. સતરભેદી પૂજા બાદ જિનાલયનાં શ્વેત શિખરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવેલ. મુખ્ય ધ્વજાનાં ચડાવાનો લાભ નવિનચંદ્ર ખીમજી મોરબીયા, આદેશ્વર પ્રભુજીની હીરબાઇ પુનશીં મૈશેરી, શાંતિનાથ પ્રભુજીની ટોકરશીં નરશીં લોડાયા સાંધવ તથા પ્રભુજીની આરતી ઉતારવાનો લાભ ચંદનબેન દિલીપભાઇ જૈન પરિવારોએ લીધેલ.

આ પ્રસંગે પૂ. મુનિરાજ શ્રી પુર્ણભદ્રસાગરજી મ.સા.એ પ્રાસંગિક ઉદ્‌બોધન કરતાં અજીતનાથ પ્રભુજીની ચમત્કારિક પ્રતિમાજીનાં અનેક ચમત્કારો વર્ણવ્યા હતા. અને ધ્વાજરોહણ પ્રસંગને એક અનેરો પ્રસંગ ગણાવ્યો હતો. માંડવી અજીતનાથ જિનાલયનો ઇતિહાસ વર્ણવ્યો હતો. વિધિકાર દિપકભાઇ કોઠારી તથા સંગીતકાર કિશોર સંગાર એન્ડર પાર્ટીએ ભારે રમઝટ જમાવી હતી. બપોરે સાધર્મિક ભક્તિ એક સદ્‌ગૃહસ્થ તરફથી યોજાઇ હતી.

કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન ભદ્રીકભાઇ મૈશેરીએ કરેલ. સંજયભાઇ ડગારાવાલા, ચેતન વોરા, અરવિંદભાઇ ગાલા, જશવંતભાઇ શાહ, કીર્તિભાઇ મહેતા, જયેશભાઇ શાહ, જયંતભાઇ શાહ, ઝરણભાઇ શાહ, નૈષેદ ભંડારી, વસંત સંઘવી, મહેશ ચુનીલાલ, પાસુ ગોશર તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વ્યવસ્થામાં તિલક ડાઘા,કૃણાલ ડાઘા, વિનય મૈશેરી, લક્ષ્મીચંદ મૈશેરી, દિલીપ જૈન, હીરેન ધરમશીં, કિશોર લોડાયા તથા સર્વે કાર્યકર ભાઇ-બહેનોએ સહકાર આપ્યો હતો.