“અહિંસા એવોર્ડ,, અર્પણ કરાયો

ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, એન્કરવાલા અહિંસાધામ દ્વારા સંસ્થાના ૨૭ માં વર્ષના અવસરે જીવદયા અને માનવસેવા ક્ષેત્રે સક્રિય કાર્ય કરી રહેલા ત્રણ મહાનુભાવોને અહિંસા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સમારોહનું અધ્યક્ષ સ્થાન ડો. અશોક શાહ-પ્રસાદ બાયોટેક (વલસાડ), શ્રી રતીલાલભાઇ વી. શેઠીયા (ઝીરો બજેટ આધ્યાત્મીક ખેતી), શ્રી હિતેશભાઇ જમનાદાસ વોરા (ઝીરો બજેટ આધ્યાત્મીક ખેતી) મહાનુભાવોએ શોભાવ્યું હતું. પ્રારંભે રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલાદીદીએ આશિર્વચન પાઠવ્યા હતા.  વિશાળ સંખ્યામાં ઉપÂસ્થત જનમેદની વચ્ચે  માનવસેવા અને જીવદયાની અનેકવિધ પ્રવૃત્તીઓ કરનાર મેરાઉ-કચ્છના માનવમિત્ર શ્રી વલ્લભજીભાઇ ડુંગરશીભાઇ શાહને  અહિંસા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.  અશોકભાઇ શાહ, સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઇ ગાલા, મહેન્દ્રભાઇ સંગોઇ, પ્રબોધ મુનવરના વરદ્‌ હસ્તે અહિંસા એવોર્ડ અર્પણ કરાયો હતો. અને તેઓની સેવાઓની નોંધ લેવામાં આવી હતી.

શ્રી હીરજીભાઇ કારાણી (હીરજીકાકા) માંડવી, ગુણાતીતપુર (ભચાઉ) ના રતિલાલભાઇ શેઠીયાને પણ અહિંસા એવોર્ડ  અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન આશાનંદભાઇ ગઢવીએ કરેલ. જયારે વ્યવસ્થા એન્કરવાલા અહિંસાધામના કાર્યકરોએ સંભાળેલ.