માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતા શ્રી સ્વ. ખીમજી ખેરાજ દાવડાની પુણ્યસ્મૃતિમાં જ્યોતિબેન ખીમજી દાવડા પરિવાર ભુજ હસ્તે અજયભાઇ, યોગેશભાઇ દ્વારા બે દિવ્યાંગોને ટ્રાયસિક-અર્પણ કરવામાં આવી હતી.
પ્રારંભે શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ સૌનું સ્વાગત કર્યું હતું. સંસ્થા દ્વારા દાતા પરિવારનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવેલ. બંને દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હવે લાંબા સમય પછી અમો ઘરથી બહાર ટ્રાયસિકલ દ્વારા હરી-ફરી શકીશું.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જાષીએ કરેલ. વ્યવસ્થામાં રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, મુળજીભાઇ ઠક્કરે સહયોગ આપ્યો હતો.