માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે કરવામાં આવી હતી.
પવિત્ર મકરસંક્રાંતિ પર્વે દાન-પૂન કરવાનાં ભાવ સાથે અનેક પુણ્યશાળીઓ માનસિક દિવ્યાંગોનાં પાલારા મધ્યે આવેલ શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચ્યા હતા.
બહુચર માઇ મંડળ અને આનંદ ગરબા મંડળનાં બહેનોએ માતાજીની પૂજા-અર્ચના કરાવી હતી. સત્સંગ-ભજન અને રાસ-ગરબાની રમઝટ જમાવી હતી. સરોજબેન ઠક્કર, કલ્પનાબેન ચોથાણી, જાશનાબેન તથા મંડળનાં સર્વે બહેનો, અને વર્ધમાનનગરનાં મહાકાળી મંડળનાં જયાબેન મુનવર, ગીતાબેન ઝવેરી સર્વે સાથે જાડાયા હતા.
આશ્રમે સવારથી જ પુણ્યશાળી આત્માઓ અહીં ઉમટી પડ્યા હતા. માનસિક દિવ્યાંગોને નવા વ†ો, ખાવા-પીવાની વસ્તુઓનું સ્વહસ્તે વિતરણ કરી પૂણ્યનું ભાથું બાંધ્યું હતું.
મિષ્ટાન-ફરસાણ સાથે બપોરનાં ભોજનનો લાભ ડો. સુરેશભાઇ બી. સાકરિયા પરિવાર, શÂક્તસિંહ હોશીયારસિંહ રાણા-માધાપર, સારસ્વતી મહિલા મંડળ-ભુજ, ચેતનભાઇ મુકેશભાઇ પૂજારા, રંજનબેન કરશનભાઇ મૈચા પરિવારોએ લીધો હતો.
ભાનુશાલી યુવા ગ્રુપ-માધાપરનાં વિનેશ ભાનુશાલી, મનીષ ભાનુશાલી, મયુર ભાનુશાલી, સુખપરનાં દીનેશભાઇ રાબડીયા, માધાપરનાં હંસાબેન ખોખાણી, અરવિંદ ઠક્કર, પ્રદિપ ઠક્કર, નિતિન ઠક્કર, શÂક્તસિંહ રાણા, વિનેશભાઇ શેઠ, જુવાનસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, અરવિંદભાઇ ગોર તથા અન્ય ગ્રુપો-મંડળો આશ્રમની મુલાકાતે પધારેલ અને દાન-પૂન કરેલ. પ્રારંભે સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરે સર્વે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સુરેશભાઇ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આશ્રમની માહિતી આપી હતી. માનવજ્યોત સંસ્થા દ્વારા ગરીબોના ઝુંપડે વ†ો વિતરણ કરવામાં આવેલ. તેમજ ગાય માતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ તથા શ્વાનોને રોટલા નાખવામાં આવેલ.
વ્યવસ્થામાં આનંદ રાયસોની, રફીક બાવા, ગુલાબ મોતા, દિપેશ શાહ, અરવિંદ કે. ઠક્કર, મહેશ ઠક્કર, વાલજી કોલી તથા સર્વે કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.