વધી પડેલો ૪૦૦ કિલો ઉધિયું ગરીબોનાં ઝુંપડે પહોંચાડાયો

મકરસંક્રાંતિ દિને વિવિધ સમાજા, ગ્રુપો, મંડળો દ્વારા ઉધિયા સાથેનું ભોજન યોજાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજને ૧૯ જેટલા સ્થળોએથી ઉધિયું વધી પડ્યા હોવાનાં ફોન આવ્યા હતા. સંસ્થાએ વાહન દ્વારા દરેક સ્થળોએથી ઉધિયું એકઠું કરી લેતા ૪૦૦ કિલો ઉધિયું એકઠું થયું હતું. જે ઉધિયું ગરીબોનાં ઝુંપડે પહોંચાડવામાં આવતાં ચાર હજાર જેટલા ગરીબોએ ઉધિયાનો સ્વાદ માણી અને મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં જાડાયા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, હિતેશ ગોસ્વામી,  રફીક બાવા, નિરવ જી. મોતા, નરેશ ટાપરીયા, અરવિંદ પટેલે સંભાળી હતી.