કાતીલ ઠંડી વચ્ચે ઠંડીમાં ઠુંઠવાતા ૯ માનસિક દિવ્યાંગભાઇ-બહેનોને માર્ગોમાંથી ઉઠાવાયા

છેલ્લા અઠવાડીયાથી ઠંડીનું સખત મોજુ ફરી વળ્યું છે. માર્ગોમાં પડ્યા પાથર્યા અને એકલા અટુલા રોડ ઉપર ફરી રહેલા તથા અચાનક ભુજ આવી ચડેલા ૯ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજની માનવજ્યોત સંસ્થાએ ઠંડી સામે રક્ષણ આપી આશ્રય સ્થાન આપ્યું છે.

દદામાપર-જખૌ માર્ગે મળી આવેલા અજાણી માનસિક દિવ્યાંગ મહિલાને એસ.ઓ.જી., એ.એસ.આઇ. જોરાવરસિંહ જાડેજાએ ભુજની માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

માધાપરનાં ગંગેશ્ર્વર માર્ગ ઉપરથી ઓરિસ્સાનો એક યુવાન, ભુજ રેલ્વે સ્ટેશન બહારથી મળી આવેલ બે-મહિલા મઉંથી મળી આવેલા એક યુવાન, તેમજ મધ્યરાત્રિએ મળી આવેલા બે પુરુષો, ભુજ માંડવી રોડ ઉપર એક, ભુજ માધાપર રોડ ઉપરથી એક મળી ૯ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને માનવજ્યોત સંસ્થાએ ઠંડી સામે રક્ષણ આપી આશ્રમ સ્થળે આશ્રય આપ્યું હતું.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, ઇરફાન લાખા, રાજુ જોગી, રાજેશ જોગી, હિતેશ ગોસ્વામી તથા રસીક જોગી સહભાગી બન્યા હતા.