જરૂરતમંદ ૮૫ પરિવારોને સૂકો નાસ્તો પહોંચાડાયો

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા સચિવ શ્રી બી.એન. પટેલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ રવિવારે જનતાકરફયુ પહેલા શનીવારે રાત્રે ૧૦-૩૦ કલાકે જરૂતમંદ ૮૫ પરિવારોને સૂકો નાસ્તો પહોંચાડવામાં આવ્યો હતો. વ્યવસ્થા પેરાલીગલ વોલીન્ટીયરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ સંભાળી હતી. રોજ રોજ મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આવા ૮૫ પરિવારોને રવિવારનાં જનતા કરફયુ પહેલાં જ સૂકો નાસ્તો પહોંચાડી દેવામાં આવ્યો હતો. આવા પરિવારો પણ ભૂખે પેટે સૂઇ ન જાય એ માટે ખાસ આ વ્યવસ્થા ગોઠવાઇ હતી.