૮ વર્ષ ગાંધીધામમાં વિતાવનાર રાજકુમાર આખરે ઘરે પહોંચ્યો પતિ-પત્નીનું ૧૮ વર્ષે થયું મિલન

મધ્યપ્રદેશનાં નરશીંગઢનો રાજકુમાર તંતીલાલ ચોરસીયા ઉ.વ. ૪૨ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ એની કોઇ ખબર નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. દિશાભ્રમનાં કારણે તે રખડતો ભટકતો રહ્યો હતો. ૧૦ વર્ષ પછી અચાનક તે ગાંધીધામ પહોંચ્યો હતો. ચંદન હોટલ પાછળ આવેલા સ્વામિ લીલાશા ટ્રાન્સપોર્ટ પાસેની જગ્યામાં તે સૂતો રહેતો કોઇની સાથે કાંઇ બોલતો નહીં. કોઇ એની ભાષા પણ સમજતું નહીં. સ્વામિ લીલાશા ટ્રાન્સપોર્ટનાં અમિત કાંતિલાલ ઠક્કર દરરોજ ઘરેથી ટીફીન મંગાવી બપોરે એને પ્રેમપૂર્વક જમાડતા, અને સાંજે હોટેલમાંથી મંગાવી એને ભોજન કરાવતા. બપોરે ભોજનમાં બાવીસ રોટલી અને ૩ રોટલા એને દરરોજ જાઇએ. કિશોરસિંહ છોટાલાલ જાડેજા એને દરરોજ ચા પીવડાવી કયારેક નાસ્તો પણ કરાવતા. તે દોઢથી બે મહિને સ્નાન કરતો. પાણીથી ખૂબ જ ડરતો. દરરોજ તેને અમીતભાઇ ઘરનું ટીફીન જમાડતા. હવે તેનું શરીર મજબૂત બની ગયું હતું. જેથી તે ૮ થી ૧૦ જણાનો પણ મુકાબલો કરી શકતો. સમય ધીરે ધીરે પસાર થઇ રહ્યો હતો. લોકોને અંગ્રેજીમાં બધું લખી દેતો. પૈસા સારી રીતે ગણતો. સાંજે છૂટા રૂપિયા આપી બાધી મોટી નોટો કરાવી લેતો અને ખિસ્સામાં રાખતો. પૈસા પોતાનાં ખિસ્સામાં હોતાં તે સ્નાન કરવાનું ટાળતો હતો. એક વખત તેણે ખીસ્સામાં મુકેલી ૨૫ હજાર રૂપિયાની નોટો સળગીને રાખ થઇ ગઇ હતી. જયા આશ્રય સ્થાન હતું એ બિલ્ડીંગ તોડી પાડી દેવામાં આવતાં તે ક્રોધે ભરાયો હતો. અને આજુ-બાજુનાં લોકો ઉપર કયારેક ગુસ્સે થઇ જતો હતો. જેથી અમીતભાઇ ઠક્કર અને કિશોરસિંહ જાડેજાએ તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે મૂકેલ. લાગણીનાં બંધન એવા બંધાઇ ગયા હતા કે તેઓ દર અઠવાડીએ તેની પૂછા કરવા ગાંધીધામથી પાલારા આવતા હતા.

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણીની સારી સારવારથી માત્ર ૩ મહિનામાં તે સ્વસ્થ બન્યો હતો. અને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતનાં પ્રયત્નોથી તેનું ઘર શોધી કઢાયું હતું. ઘરે પત્ની અને બે પુત્રો તેની ઘરે રાહ જાઇ બેઠા હતા. બંને પુત્રો ૨૦ અને ૨૫ વર્ષની ઉંમરના થઇ ચુકયા હતા. રાજકુમાર જીવીત છે કે નહીં… ઘરે પાછો ફરશે કે નહીં તેવી ચિંતામાં પત્નીએ ૧૮ વર્ષ ગાળ્યા. આખરે રાજકુમાર માટે સારા દિવસો આવ્યા. માનવજ્યોત અને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતે તેનું ઘર શોધી કાઢ્યું. આખરે તે ઘરે પહોંચ્યો. ગામ અને પરિવારમાં ખુશી છવાઇ ગઇ. ઘરે પહોંચતા પહેલા રાજકુમારે ૬૦ વર્ષની ઉંમર પૂરી કરી હતી.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, ગુલાબ મોતા, રફીક બાવા, દિપેશ શાહ, આનંદ રાયસોની, નિરવ મોતા, મહેશ ઠક્કર, વાલજી કોલી તથા શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત અને માનવજ્યોત તથા રામદેવ સેવાશ્રમની ટીમ સહભાગી બની હતી.