૩ મહિના દરમ્યાન માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ 7 જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. 7 બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, હિતેશ ગોસ્વામી, રસીક જોગી, વિક્રમ રાઠીએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી.
અજાણ્યા પુરુષ ઉ.વ. 55 અને ઉ.વ. 47 (મુન્દ્રા) નું સારવાર દરમ્યાન ભુજ જનરલ હોસ્પીટલમાં મૃત્યુ થયેલ. નાના કપાયા મુન્દ્રા પુરુષ ઉ.વ. 35, ટ્રેન નીચે પડતું મુકનાર યુવાન ઉ.વ. 28, કુકમા ગામ પાસેથી મળેલ પુરુષ ઉ.વ. 35, અંજાર વિસ્તારમાંથી મળેલ મહિલા ઉ.વ. 75 અને ગાંધીધામ રાજવી ફાટક પાસેથી મળેલી મહિલા ઉ.વ. 52ની અંતિમ વિધિ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવેલ.
માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો ચેરીટેબલ સોસાયટી, ભુજ નગરપાલિકા સ્વર્ગ પ્રયાણધામગેસ આધારીત ખારી નદી સ્મશાન ગૃહે સહકાર આપ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં 701 બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી છે. દરેકનાં મૃત્યુનાં પ્રમાણપત્રો તથા પોલીસ રિપોર્ટ સાચવી રાખવામાં આવ્યા છે. અસ્થિઓ માટલામાં ભરી રાખવામાં આવે છે. દર વર્ષે શાસ્ત્રોક્ત વિધિ સાથે અસ્થિઓ ધ્રબુડી પાસે દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે.