કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ, કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના તથા અન્ય વાયરસ સામે રોગ પ્રતિકાર શક્તિ મેળવવા અનેક ઔષિધઓમાંથી બનાવેલો તૈયાર ઉકાળો ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં લોકોને પીવડાવવામાં આવી રહ્યો છે.
પાલારા ખાસ જેલનાં કેદીઓ તથા સ્ટાફ ૬૦૦, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની ૬૦ બાળાઓ, શ્રી રામદેવ સેવાશ્રમનાં ૪૫ માનસિક દિવ્યાંગોને ગરમ ઉકાળો પીવડાવવામાં આવેલ. માનવજ્યોતનું વાહન ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પહોંચી જઇ લોકોને આયુર્વેદિક ઉકાળો પીવડાવી રહેલ છે. અત્યાર સુધીમાં ૭ હજાર લોકોએ ઉકાળો પીધો છે.
પાલારા ખાસ જેલ મધ્યે પાલારા ખાસ જેલ અધિક્ષક ડી.એમ. ગોયેલ, સિવિલ સર્જન ડો. કશ્યપભાઇ બુચ, ડો. પવનકુમાર મકરાણી, કે.ડી. ઝાલા, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર મધ્યે કમળાબેન વ્યાસ, ભક્તિબેન ભટ્ટ, દિપ્તીબેન, શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે ગુલાબ મોતા, મહેશભાઇ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
માનવજ્યોત સંસ્થા ભુજનાં હરતા-ફરતા વાહન દ્વારા ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ વિસ્તાર, મુન્દ્રા રોડ, ટાઉન હોલ પાસે, હમીરસર કાંઠે, નવી શાક માર્કેટ તથા જુના એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમાં લોકોને અનેક ઔષધિઓથી ભરપૂર ઉકાળો પીવડાવવામાં આવેલ.
વ્યવસ્થામાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, ઇરફાન લાખા, આરતી જાષી તથા માનવજ્યોતનાં કાર્યકરોએ સંભાળી હતી.