માનવજ્યોત સંસ્થા ભુજને ૫૦ હજારનું અનુદાન અપાયું

યુનિસન ફાર્મા સ્યુટીકલ્સ પ્રા. લી. અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂપિયા ૫૦ હજારનું અનુદાન આપવામાં આવેલ. છેલ્લા પાંચ વર્ષથી માનવજ્યોત સંસ્થા ભુજને દર વર્ષે રૂા. ૫૦ હજારનું અનુદાન આપવામાં આવે છે. સંસ્થા દ્વારા ભુજ અને કચ્છમાં માનવસેવા-જીવદયા અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરીએ આભાર વ્યક્ત કર્યો હતો.