૫૦૦ મહિલાઓને સાડી, ૬૦૦ બાળકોને નવા ડ્રેસ વિતરણ કરાયા

માનવજ્યોત ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ૫૦૦ મહિલાઓને સાડી, ૬૦૦ બાળકોને નવા ડ્રેસ, તથા ૨૦૦૦ જરૂરતમંદ શ્રમજીવીકોને તેમનાં ઝુંપડા-ભૂંગા સુધી જઇ હાથો હાથ કપડા વિતરણ કરવામાં આવેલ.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જાષી, રફીક બાવા, જેરામ સુતાર, આનંદ રાયસોની, દિપેશ શાહ, મુરજીભાઇ ઠક્કર, દિલીપ સાયલા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. અને ગરીબ અને શ્રમજીવીકોને વસ્ત્રો વિતરણ કર્યા.

છેલ્લા આઠ દિવસથી માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ અને ભુજ વિસ્તારનાં જરૂરતમંદ લોકો સુધી પહોંચી જઇ આ વિતરણ કાર્ય હાથ ધરાયું હતું. જેથી ગરીબ અને શ્રમજીવીકોએ ખુશી વ્યક્ત કરી હતી.

માનવજ્યોત સંસ્થા દ્વારા પુષ્કળ પ્રમાણમાં શહેરીજનો પાસેથી કપડા એકઠા કરવામાં આવ્યા હતા. અને આ કપડા ગરીબો સુધી પહોંચડવામાં આવતાં તેઓ પણ દિવાળી પર્વની ઉજવણીમાં જાડાયા હતા.