માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારા-કચ્છ દ્વારા નારાણપરનાં એક સદ્ગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી ૫૦૦ કિલો કેરી શ્રમજીવી પરિવારોનાં ભૂંગા-ઝુંપડાઓમાં જઇ દરેક પરિવારોને કેરીઓનું વિતરણ કરવામાં આવતાં શ્રમજીવી પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી.
વિતરણ વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કરે સંભાળી હતી.