44 માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો અર્પણ કરાયા

શ્રી સ્વ. રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ નાં 44 માનસિક દિવ્યાંગોને દિપાવલી પર્વ નિમિત્તે નવા વસ્ત્રો અર્પણ કરાયા હતા.

માનવજ્યોત દ્વારા શ્રી વસંતલાલ અજાણી, અનીલભાઇ અજાણી તથા શિવશંકરભાઇ નાકરનું સન્માન કરી ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ સંસ્થાની પ્રવૃત્તિઓની સમજ આપી હતી.

કુલદીપસિંહ ડી. વાઘેલા, દેવેન્દ્રસિંહ જાડેજા તથા અર્જુનસિંઘ વાઘેલા દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજનીયા જમાડવામાં આવેલ.

સંચાલન શંભુભાઇ જાષીએ, આભારવિધિ ગુલાબ મોતાએ કરેલ. વ્યવસ્થામાં મહેશભાઇ ઠક્કર, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો.