સૂરત આશ્રમનાં 43 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ભુજથી પોતાનાં રાજ્ય, શહેર, ગામ સુધી પહોંચશે. પરિવાર સાથે તેમનું વર્ષો પછી થશે ફેર મિલન

સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટનાં 43 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવેલ છે. અહીંથી દરેકનું ઘર-પરિવાર શોધી તેમનાં ઘર સુધી માનવજ્યોત સંસ્થા પહોંચાડશે. માત્ર આઠ દિવસમાં 18 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોનાં ઘર –પરિવાર શોધી કઢાયા છે. દેશનાં વિવિધ રાજ્યોમાંથી દરરોજ એક-બે પરિવારો તેમનાં ગુમ સંતાનોને તેડવા ભુજ સુધી આવી પહોંચે છે અને પોતાના વ્હાલસોયા સંતાનોનો કબ્જો પાલારા-કચ્છની પાવનભૂમિ ઉપર આવેલ માનવજ્યોત આશ્રમેથી મેળવી ખુશી અનુભવતા હોય છે.