નારાણપરમાં 400 ચકલીઘર 400 કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

ભુજ તાલુકાનાં નારાણપર ગામે દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયાનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રાધા કૃષ્ણ ચોક મધ્યે 400 કુંડા, 400 ચકલીઘર તથા જીવદયા સ્ટીકરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગામનાં અમૃતબેન ભુડિયા સહિતનાં આગેવાનો જોડાયા હતા.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. નારાણપર આખા ગામમાં કુંડા-ચકલીઘર લટકતા થયા હતા. લોકો જીવદયાની આ પ્રવૃત્તિમાં સામેથી જોડાયા હતા.