કચ્છી નવું વર્ષ અષાઢી બીજ નિમિત્તે ઇન્ડીયન ફાર્મસ ફર્ટીલાઇઝર કો-ઓપ. લી. અમદાવાદ દ્વારા સિનિયર ફિલ્ડ મેનેજર ઇફકો ભુજનાં શ્રી વી.એલ. બાબરીયા તથા સ્ટેટ માર્કેટીંગ મેનેજર ઇફકો અમદાવાદનાં શ્રી એન.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજના સહકારથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં લોકોનાં ઘર સુધી જઇ લીંમડા, પીપળા, ગુલમોરનાં ૩૫૦ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. દરેક રોપાને કાળજીપૂર્વક ઉછેરવાની સમજ પૂરી પાડવામાં આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે વૃક્ષારોપણ કરવામાં આવેલ.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, દિપેશ શાહ, આનંદ રાયસોની, પ્રતિક્ષાબેન પવાર, પ્રતાપ ઠક્કર, રફીક બાવા, દિપેશ ભાટિયા, ચમનલાલ જીવાણી, અક્ષય મોતાએ સંભાળી હતી.