માનવજ્યોતનાં નોતરે 21 પ્રજ્ઞાચક્ષુઓ આશ્રમે જમવા પધાર્યા

માનવજ્યોતનાં નોતરે 21 પ્રજ્ઞાચક્ષુઓ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે જમવા પધાર્યા હતા.

આશ્રમનાં પ્રવેશ દ્વારથી તેઓનું ઢોલ-શરણાઇનાં નાદોથી વાજતે-ગાજતે સામૈયું કરવામાં આવેલ. આશ્રમનાં હોલ મધ્યે માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે સૌને મીઠડો આવકાર આપ્યો હતો. અને જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુઓને ભગવાને આંખો નથી દીધી પણ મગજથી તેઓ સર્વશ્રેષ્ઠ કાર્યો કરે છે. અને બીજાને પણ માર્ગદર્શન આપી મદદરુપ બનતા હોય છે.

ભુજ તેરાપંથ જૈન સંઘનાં પ્રમુખ વાડીલાલભાઇ મહેતાએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્ર્વરી, સહદેવસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં સંસ્થાની પ્રવૃત્તિઓની સમજ આપી હતી.
દરેક પ્રજ્ઞાચક્ષુ ભાઇઓને માનવજ્યોત દ્વારા કપડાની નવી જોડી અર્પણ કરાઇ હતી. અને તેઓ નવા વસ્ત્રોમાં સજ્જ થયા હતા. પ્રજ્ઞાચક્ષુ અર્જુન મહેશ્ર્વરી, સિધીક કોલી તથા સુમાર મહેશ્ર્વરીએ જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચુક્ષઓને સામૈયું, સન્માન, બહુમાન અને સમુહભોજન આવું પ્રથમ વખત માણ્યું. સૌને બે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન દાતાશ્રી એચ.ડી.ફાયર પ્રોટેકટ- થાણા-મુંબઇના સહયોગથી કરાવાયું હતું. સૌએ ખુશી વ્યક્ત કરી સંસ્થા તથા દાતાશ્રી પરિવારને આશિર્વાદ પાઠવ્યા હતા.

વ્યવસ્થા રમેશભાઇ માહેશ્ર્વરી, આનંદ રાયસોની, રફીક બાવા, ભુપેન્દ્ર બાબરીયા, નરશીંભાઇ પટેલ, શંભુભાઇ જોષી, પંકજ કુરવા, દિલીપ લોડાયા, દામજી મૈશેરી, વાલજી કોલીએ સંભાળી હતી.