Monthly Archives: August 2024

મધ્યપ્રદેશનાં બે ભાઇઓનું 35 વર્ષ પછી થયું મિલનચિંતા માં માતા-પિતા મૃત્યુ પામ્યા, પત્નીએ બીજા લગ્ન કરી લીધા.ઘરેથી નીકળ્યો ત્યારે 30 વર્ષનો હતો. આજે તે 65 વર્ષનો થઇ ચુકયો છે.

મધ્યપ્રદેશના રિવા જીલ્લાનાં દેવરા ગામનો યુવાન રામનાથ હનુમાનપ્રસાદ કુશવાહા ઉ.વ. 30 ગુમ થતાં તેનાં પરિવારજનોએ સતત પાંચ વર્ષ સુધી તેની શોધ ચલાવી હતી. કયાં પણ તેનાં કોઇ ખબર-અંતર ન મળતાં પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા. તે વિવિધ રાજ્યોનાં અનેક શહેરો-ગામડાંઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. કયાંક ખાવા તો કયાંક સૂવા નમળ્યું. અનેક મુશ્કેલીઓ વેઠતો છેલ્લે તે […]

બળદીયાનાં જીવદયાપ્રેમીને ભાવાંજલિ અર્પણ કરાઇ

બળદીયા ગામનાં જીવદયાપ્રેમી શ્રી કલ્યાણભાઇ લાલજી જેસાણીને માનવજ્યોત દ્વારા અંજલિ અપાઇ હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષીએ તેઓની જીવદયાની પ્રવૃત્તિઓની બિરદાવી ભાવાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર વિસ્તારામાં તેમણે કરેલ માનવસેવા-જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવેલ.