કચ્છી દાનવીર દાતા, આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે અનોખી જ્યોત જલાવનાર, ગરીબ અને દીન દુઃખીયાઓના આંસુ લુછનાર, અગ્રણી દાતા, સમાજ રત્ન હસમુખભાઇ કાનજીભાઇ ભુડિયાનું અવસાન થતાં ભુજની માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધભાઇ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ તેમની પ્રેમ, સદભાવનાની સરવાણીને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Monthly Archives: August 2024
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુપેન્દ્રસિંહજી જોરાવરસિંહજી રાઠોડને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધભાઇ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, રફીક બાવાએ તેમની પ્રેમ, સદભાવનાની સરવાણીને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભુજ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રહેવાનાં મકાનોમાં વરસાદી પાણી ભરાઇ જતાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા જરુરતમંદ અસરગ્રસ્ત લોકોને તૈયાર ભોજન પહોંચાડવામાં આવેલ. થેપલા-ચા-ખારીભાત સાથેનું ભોજન પીરસવામાં આવેલ.માનવજ્યોતનું હરતું-ફરતું વાહન ભૂંગા-ઝુંપડા-કાચા મકાનોમાં રહેતા લોકો સુધી પહોંચ્યું હતું. અને બપોરનું ભોજન પહોંચાડ્યું હતું. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કર, રફીક બાવા, રાજુ જોગી, આરતી […]
નેપાળનાં જેશીર્ગાંવનો યુવાન નરબહાદુર ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. બે વર્ષ પછી તે બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ સારી સારવાર કરી. માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની સારવાર […]
ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજયોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ- શરણાઈ સાથે વાજતે ગાજતે આવી પહોંચી હતી. “સી,, ટીમ પોલીસ- ભુજ, કુકમા વણકર મહિલા ગ્રુપ-કુકમા, મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર, શ્રી સહકાર સેવા ટ્રસ્ટ-ભુજ, નીલમ ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ, કચ્છ મહિલા વિકાસ […]
છત્તીશગઢનાં જાંજગીર ચાંપા વિસ્તારનો યુવાન રોહીત કેવટ ઉ.વ. 18 અચાનક માનસિક સમતુલા ગુમાવતાં તેણે ઘર અને પરિવાર છોડ્યા હતા. અને તે સતત રખડતો-ભટકતો રહ્યો હતો. અનેક રાજ્યોમાંથી થઇ છેલ્લે સોમનાથનાં નિરાધારનો આધાર સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકો જનકભાઇ અને ધ્રુવભાઇ સોલંકીએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી હતી. અહીં તે થોડાક દિવસનો મહેમાન બન્યો. […]
પોતાની ગુમ વ્યક્તિ અંગે સતત ચિંતા સેવી રહેલા અનેક પરિવારો વર્ષો પછી જયારે પોતાનાં પરિવારની વ્યક્તિને મળે છે ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાય છે. દૂર- દૂરનાં રાજ્યોનાં શહેરો-ગામડાઓમાંથી પોતાનાં પરિવારની વ્યક્તિને તેડવા તેઓ લાંબી મુસાફરી કરી ભુજ સુધી પહોંચે છે. વર્ષોના વર્ષો પછી ગુમ વ્યક્તિ મળી આવતાં અને તેની સાથે મિલન થતાં તેને તેડવા આવેલા પરિવારજનો […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ પ્રભાતફેરી સ્વરુપે તિરંગા યાત્રામાં જોડાઇ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસની આઝાદી પર્વની ઉજવણી કરી હતી. સંસ્થાનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્ર્વરી, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલા અબોટી, મુરજીભાઇ ઠક્કર, ભુપેન્દ્રભાઇ બાબરીયા, ભરતભાઇ સોની, રીતુબેન વર્મા સહિત સંસ્થાનાં કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ 2 જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. 2 બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રસીક જોગી, હિતેશ ગોસ્વામી, વિક્રમ રાઠીએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. અજાણ્યા પુરુષ ઉ.વ. 40, તથા […]
ઇન્નરવ્હીલ કલબ ભુજ વોલસીટી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યામંદિરનાં મજુરી મુક્ત ગરીબ બાળકોને ભુજીયા તળેટીમાં આવેલ “સાયન્સ સીટી,, બતાડવામાં આવેલ. ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટીનાં પ્રમુખ યામિની ઠક્કર, સેક્રેટરી ઉર્વી સોની, ખજાનચી કવિતા ભાનુશાલી તથા બીનાબેન જોષી, નીતાબેન હાલાણી, વિધિબેન ઠક્કરે ઉપસ્થિત રહી બાળકોને ભાવતો અલ્પહાર અર્પણ કર્યો હતો. મજુરી મુક્ત બાળકોએ […]
- 1
- 2