Monthly Archives: October 2021

સૂરતનાં પરિવારની નવરાત્રી સુધરી ગુમયુવાન પાંચ વર્ષે ઘરે પહોંચ્યો

અજય ધનજી દુધાત ઉ.વ. ૩૩ સૂરતથી પાંચ વર્ષ પહેલા ગુમથયો હતો. તે રખડતો-ભટકતો અન્ય રાજ્યોમાંથી થઇ ભુજ પહોંચ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને તે ભુજનાં જુના એસ.ટી. બસ સ્ટેશનેથી મળ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છમધ્યે રાખી તેની સારવાર શરૂ કરાઇ હતી. તે સ્વસ્થ બનતાં […]

નવલી નવરાત્રીએ નવ દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગો પર ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા નવલી નવરાત્રીએ નવ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા-ફરતા કરાયા હતા. દાતાશ્રી રમેશ એન્ડ લાલજી નારાણ દેવજી વરસાણી પરિવાર સામત્રા હાલે લંડન, પ્રશુન રમેશ નારાણ વરસાણી તથા પનીશા લાલજી નારાણ વરસાણી લગ્નતિથિ નિમિત્તે સામત્રા-કચ્છ દ્વારા ૪, સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર દ્વારા-૨ તથા માનવજ્યોત-ભુજ દ્વારા-૩ મળી […]

માનવજ્યોત દ્વારા પિતૃઓના મોક્ષ અર્થે પિતૃયજ્ઞ યોજાયો

શ્રી ગોસ્વામી મહિલા મંડળ માધાપર-કચ્છ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને શ્રાદ્ધનિમિત્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ગોસ્વામી મહિલા મંડળ માધાપરનાં પ્રમુખ સાવિત્રિબેન ગોસ્વામી, ગીતાબેન, જોશનાબેન ,ભાવનાબેન, હીનાબેન સહિતનાં હોદેદારોએ શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લઇ ખુશી વ્યક્ત કરી હતી અને મસ્તરામોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. આશ્રમસ્થળે શ્રાદ્ધપક્ષ નિમિત્તે સ્વજનોની આત્માની […]

માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનું પી.કે.લહેરી સાહેબનાં વરદ્ હસ્તે સન્માન કરાયું

ગાંધી જયંતિ નિમિત્તે માનવજ્યોત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ તથા જીવન જ્યોત કેન્સર રિલીફ એન્ડ કેર ટ્રસ્ટ મુંબઇ દ્વારા જૈન ભવન પાલડી મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યની વિવિધ સેવાભાવી સંસ્થાઓનું બહુમાન કરવામાં આવેલ. ગુજરાત સરકારના પૂર્વ અગ્રસચિવ શ્રી પી.કે. લહેરીસાહેબ, કુલીનકાન્તભાઇ લુઠીયા, હરખચંદભાઇ સાવલા, પ્રતાપભાઇ દંડ, મુળરાજભાઇ હરિયાણી, જીતુભાઇ શેઠ, અચૂતભાઇ મહેતા, પરષોત્તમભાઇ પંચાલ, નાનકભાઇ ભટ્ટ તથા […]

શ્રાદ્ધ નિમિત્તે પરશુરામમહિલા મંડળ – ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે પરશુરામમહિલા મંડળ ભુજ દ્વારા સેવાશ્રમનાં મસ્તરામોને ભોજન કરાવવામાં આવેલ. પરશુરામમહિલા મંડળનાં જિલ્લા પ્રમુખ દિપ્તીબેન ગોરનું માનવજ્યોત સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવેલ. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇજોષી, આનંદ રાયસોની આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ધવલભાઇ વ્યાસ, […]

શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળેથી ૪ વર્ષમાં ૪૦૫ માનસિક દિવ્યાંગો પોતાનાં ઘર સુધી પહોંચ્યા… પરિવારજનોમાં ખુશી છવાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળેથી ૪ વર્ષમાં ૪૭૫ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની પોતાનાં વતન સુધી પહોંચ્યા છે. પરિવારજનો સાથે ફેર મિલન થયું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ-કચ્છના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિ સમગ્ર કચ્છમાં ચાલી રહી છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા […]