Monthly Archives: September 2019

બાળશ્રમયોગીને અલ્પાહાર સાથે શૈક્ષણિક કીટ અપાઇ

ઇન્ટરેકટ કલબ ઓફ શેઠ વી.ડી. હાઇસ્કુલ ભુજ સ્પોન્સર રોટરી કલબ ઓફ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યા મંદિરનાં બાળશ્રમયોગીઓને અલ્પાહાર,ચોકલેકટ, બિસ્કીટ સાથે લંચ બોક્ષ અને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ. પ્રારંભે સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે બાળશ્રમયોગી શાળા વિષે માહિતી આપી હતી. ઉર્મિલભાઇ હાથી, પરાગભાઇ ઠક્કર, જયશ્રીબેન ગોર તથા કલબનાં આસુતોષ શાહ, આદિત્ય સુથાર, […]

ભુજમાંથી મળેલા બિહારનાં યુવાનનું ૧૦ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

બિહાર રાજ્યનાં જમુ જિલ્લાનાં ડુમરી તાલુકાનાં રાજપુર ગામનો યુવાન મોરારી મંડલ ૧૦ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે અને પરિવારજનો સાથે ફેરમિલન થયું છે. આ યુવાનની પરિવારજનો સતત શોધ ચલાવી રહ્યા હતા. પણ કયાં પણ તેનો અતો પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં પ્રારંભે સિનિયર […]

માત્ર ગાય માતાનું દૂધ પીને નહીં, પણ તેનાં દુઃખનાં આંસુ લુછીને તેને બચાવીએ…

દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણને બચાવવા સંકલ્પ કર્યો છે. ત્યારે આપણે સૌ આ દિશામાં જાગૃત બનીએ. સમગ્ર કચ્છમાં પ્લાસ્ટીક થેલી-ઝબલાનું દુષણ દૂર કરવા અનેક સંસ્થાઓ સક્રિય બની કાર્ય કરી રહી છે. પણ જ્યાં સુધી ઉત્પાદન બંધ નથાય ત્યાં સુધી દુષણ દૂર થવું કઠીન છે. પ્લાસ્ટીકનાં થેલીઓ અને ઝબલાનું જ્યાંં […]

શ્રાદ્ધ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને સ્વ હસ્તે ભોજન જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન […]