Monthly Archives: March 2019

સીટી ટ્રાફિક પોલીસ દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

ભુજ શહેર સીટી ટ્રાફિક પોલીસ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને ત્રણ ટાઇમનું આખા દિવસનું મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન કરાવાયું હતું.સીટી ટ્રાફિક પોલીસે માનસિક દિવ્યાંગોને સ્વહાથે ભોજન પીરસ્યું હતું. અને માનવ સેવાનો અનેરો લાભ લીધો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, દિપેશ શાહ, ગુલાબ મોતા, હિતેશ ગોસ્વામી, પ્રતાપ ઠક્કર, રિતુબેન વર્માએ આભારની […]

પાર્થિવ પટેલે માનવજ્યોતને શુભેચ્છા પાઠવી

ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી અને જાણીતા વિકેટકીપર-બેસ્ટમેન ઓલરાઉન્ડર શ્રી પાર્થિવ પટેલે ગાંધીનગર મધ્યે રાજભવન ખાતે માનવજ્યોત સંસ્થા ભુજને શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, શ્રીમતિ જયાબેન મુનવર, આનંદ રાયસોની, અમીતા જૈન, તનિષ્ક જૈન, ગીતાબેન ઝવેરી, દક્ષાબેન છેડાએ અમદાવાદ મધ્યે પાર્થિવ પટેલને મળી માનવજ્યોતની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી.

વિશ્વ મહિલા દિવસે શ્રમજીવી મહિલાઓને સાડીઓ વિતરણ કરાઇ મહિલાઓના અધિકાર વિશે માહિતી અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ મહિલા દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં શ્રમ એરીયા દાદુપીર રોડ મધ્યે શ્રમજીવી મહિલાઓને સાડીઓ વિતરણ કરવાનો કાર્યક્રમ સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પ્રારંભે શ્રી શંભુભાઇ જાશીએ મહિલા દિવસ ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે મહિલાઓને […]

કચ્છના સાંસદશ્રીએ જન્મદિનની કરી અનોખી ઉજવણી

કચ્છ-મોરબી વિસ્તારનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ પોતાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ૫૧ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડી જન્મદિન મનાવ્યો હતો. ભોજન જમી માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મનીષભાઇ બારોટ, કમલભાઇ ગઢવી, નીખીલભાઇ ઠક્કર, પ્રબોધ મુનવર તથા વિનોદ […]

નલીયામાંથી મળેલો આસામનો યુવાન પાંચ વર્ષે ઘરે પહોંચ્યો

આસામનો ઇકરામુલ જાનઅલી ઉ.વ. ૨૪ છેલ્લા પાંચ વર્ષથી ગુમ હતો. ૬ ભાઇ બે બહેનો અને માતા-પિતા સાથે રહી “ચા’’ ના બગીચામાં મજુરી કામ કરતો આ યુવાન અચાનક ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તે અન્ય રાજ્યોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. તે અન્ય રાજ્યોમાંથી થઇ ભુજથી પગે ચાલી નલીયા સુધી પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગ […]

કોલી સમાજનાં આગેવાનનાં અવસાનથી શોક ફેલાયો

ભીડગેટથી નવા રેલ્વે સ્ટેશન માર્ગ ઉપર આવેલા કોલીવાસનાં અગ્રણી આગેવાન શ્રી હરજીભાઇ રવા કોલીનું અવસાન થતાં કોલી સમાજમાં દુઃખની લાગણી પ્રસરાઇ હતી. હરજીભાઇ શિક્ષણપ્રેમી હતા. સમાજનાં બાળકો શિક્ષણ મેળવી આગળ વધે એ માટે સતત પ્રયત્નો કરતા રહ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી, અરવિંદ ઠક્કર, રફીક બાવાએ અંજલી આપી હતી.