ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઇ જાય છે. ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ – પાલારા દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડા સુધી પહોંચાડવામાં આવે છે. શહેરમાં લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, ભાગવત કથાઓ, સામાજિક પ્રસંગો, તહેવારોની ઉજવણી, કે અન્ય શુભ પ્રસંગે યોજાતા ભોજન સમારંભો અને મહાપ્રસાદોમાં અનેક […]
Monthly Archives: January 2019
ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, એન્કરવાલા અહિંસાધામ દ્વારા સંસ્થાના ૨૭ માં વર્ષના અવસરે જીવદયા અને માનવસેવા ક્ષેત્રે સક્રિય કાર્ય કરી રહેલા ત્રણ મહાનુભાવોને અહિંસા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમારોહનું અધ્યક્ષ સ્થાન ડો. અશોક શાહ-પ્રસાદ બાયોટેક (વલસાડ), શ્રી રતીલાલભાઇ વી. શેઠીયા (ઝીરો બજેટ આધ્યાત્મીક ખેતી), શ્રી હિતેશભાઇ જમનાદાસ વોરા (ઝીરો બજેટ આધ્યાત્મીક ખેતી) […]
માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતા શ્રી સ્વ. ખીમજી ખેરાજ દાવડાની પુણ્યસ્મૃતિમાં જ્યોતિબેન ખીમજી દાવડા પરિવાર ભુજ હસ્તે અજયભાઇ, યોગેશભાઇ દ્વારા બે દિવ્યાંગોને ટ્રાયસિક-અર્પણ કરવામાં આવી હતી. પ્રારંભે શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ સૌનું સ્વાગત કર્યું હતું. સંસ્થા દ્વારા દાતા પરિવારનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવેલ. બંને દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે કરવામાં આવી હતી. પવિત્ર મકરસંક્રાંતિ પર્વે દાન-પૂન કરવાનાં ભાવ સાથે અનેક પુણ્યશાળીઓ માનસિક દિવ્યાંગોનાં પાલારા મધ્યે આવેલ શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચ્યા હતા. બહુચર માઇ મંડળ અને આનંદ ગરબા મંડળનાં બહેનોએ માતાજીની પૂજા-અર્ચના કરાવી હતી. સત્સંગ-ભજન અને રાસ-ગરબાની રમઝટ જમાવી હતી. સરોજબેન ઠક્કર, કલ્પનાબેન […]
ભુજ શહેર કોમી એકતા મંડળ દ્વારા મકરસક્રાંતિ પર્વની પતંગ સ્પર્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનાં પ્રારંભે ગૌમાતાઓને લીલોચારો આગેવાનોનાં વરદ્ હસ્તે નાખવામાં આવેલ. ઇબ્રાહીમ હાલેપૌત્રા, પ્રબોધ મુનવર, આમદભાઇ જત, ઘનશ્યામ ઠક્કર, આનંદ રાયસોની, હનીફભાઇ કુરેશી, નગરસેવક માલશીં માતંગ, ગની તાલબ કુંભાર, ભોગીલાલ વોરા, ઝહીર સમેજા, સલીમ નોડે તથા […]
મકરસંક્રાંતિ દિને વિવિધ સમાજા, ગ્રુપો, મંડળો દ્વારા ઉધિયા સાથેનું ભોજન યોજાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજને ૧૯ જેટલા સ્થળોએથી ઉધિયું વધી પડ્યા હોવાનાં ફોન આવ્યા હતા. સંસ્થાએ વાહન દ્વારા દરેક સ્થળોએથી ઉધિયું એકઠું કરી લેતા ૪૦૦ કિલો ઉધિયું એકઠું થયું હતું. જે ઉધિયું ગરીબોનાં ઝુંપડે પહોંચાડવામાં આવતાં ચાર હજાર જેટલા ગરીબોએ ઉધિયાનો સ્વાદ માણી અને મકરસંક્રાંતિ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય શ્રી જયંતિભાઇ પી. ભાનુશાલીની હત્યાનાં બનાવને વખોડી તેઓની માનવસેવા-જીવદયા-ધાર્મિક-શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સંસ્થનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, અરવિંદ ઠક્કર, શંભુભાઇ જાષી, રફીક બાવા, પ્રવિણભાઇ ભદ્રા, નરશીં પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા તથા ભુજ-માધાપર-લેર-ભુજાડી માર્ગોમાં ખુલ્લામાં પડ્યા – પાથર્યા રહેતા ૫૦૦ થી વધુ જરૂરતમંદ લોકોને દાતા શ્રી મનજી અરજણ ભુડીયા-માધાપર, હરીશ મનજી ભુડીયા-માધાપર, જીવીબેન નાનજી ભુડીયા-માધાપર, ભરતભાઇ ગોર, રામબાઇ રામજીભાઇ કેરાઇ-નારાણપર, ભારતીબેન પ્રતિતકુમાર ઠક્કર-ગાંધીધામ,ડો. ઉર્વશી, પ્રિયવદાબેન, દેવકુંવરબેન મેઘજી વેલજી ધરમશીંનાં સહયોગથી ગરમ […]
મકરસક્રાંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવશે. એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવશે. ઝુંપડાઓમાં જઇ ગરીબોને ભોજન અપાશે. રંક બાળકોને તથા બાળશ્રમયોગીઓને ભોજન જમાડાશે. પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, ગાયોને ઘાસચારો […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા, એકલા-અટુલા નિરાધાર જેનું અહીં કોઇ નથી તેવા માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી ઘર સુધી પહોંચાડવાનું કાર્ય ૧૪ વર્ષથી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૬૦૮ જેટલા માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યા છે. પરિવારજનો સાથે ૫,૧૦,૧૫,૨૦ વર્ષે ફેર મિલન […]