વરસાદી માહોલ વચ્ચે ૩૦૦ લોકોને ભોજન કરાવાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ઝુંપડા અને ભુંગાઓમાં રહેતા ૩૦૦ જરૂરતમંદ લોકોને વરસાદી માહોલ વચ્ચે કપીરાજ હનુમાન મંદિર- મીરજાપર તથા લેવા પટેલ સમાજવાડી સુખપર નવાવાસ, વિશ્રામભાઈ સામજી રાબડીયાનાં સહયોગથી શીરો,શાક,ભાત,દાર,પૂરી સાથેનું ભોજન જમાડવામાં આવતાં શ્રમજીવીક પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. ભૂખ્યા બાળકોએ પણ ભરપેટ ભોજન કર્યું હતું. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રસીક જોગી, વિક્રમરાઠી, દામજી જોગીએ સંભાળી હતી.