બાયડથી ૧૬ મંદબુદ્ધિ ભાઇ-બહેનો ભુજ પહોંચ્યા નિરાધારોનો આધાર બની ભુજની માનવજ્યોત સંસ્થા

જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ-બાયડનાં ૧૬ મંદબુદ્ધિ ભાઈ-બહેનોને માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઈ આવવામાં આવેલ છે.

બાયડ આશ્રમનાં સંચાલકો અશોક જૈન, વિશાલ પટેલ, વિજય પટેલ તથા કાર્યકરોએ તેમની ખૂબ જેસવા કરી. તેમને ઘર શોધી આપી ઘર સુધી પહોંચાડવા આ ૧૬ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા ભુજ સુધી લઇ આવ્યા છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આ દરેકને ઘર સુધી પહોંચતા કરાશે.

ગુજરાતનાં વિવિધ આશ્રમોમાં વર્ષોથી પોતાની જિંદગી વિતાવી રહેલા આવા નિરાધારોનો ભુજની માનવજ્યોત સંસ્થા આધાર બની છે. તેઓને પણ હવે લાંબા સમય પછી ઘર અને પરિવાર ફરીથી મળશે.

ઘર ભૂલેલા તથા ઘરથી વિખુટા પડેલા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા આવા અનેક લોકો ઘર સુધી પહોંચ્યા છે. વર્ષો પછી પરિવારજનો સાથે મિલન થયું છે.

સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવા, સહદેવસિંહ જાડેજા, કરશન ભાનુશાલી, મુળજીભાઇ ઠક્કર, નીતીન ઠક્કર, માનવતાનાં આ કાર્યમાં સહયોગી બન્યા છે.