૧૩૦૦ જણાની તૈયાર રસોઇ જરૂરતમંદ સુધી પહોંચી આભાર

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દરરોજ ૧૩૦૦ જણાની તૈયાર રસોઇ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા ભુંગાઓ સુધી પહોંચાડવામાં આવે છે.

દાનાભાઇ રામા આહિર-ગુણાવતીપુર- ભચાઉ-૩૦૦, પુજા જયભાઇ સંઘવી-૭૫, કીર્તીકુમાર ચંદુલાલ મોરબીયાનાં સ્મણાર્થે મોરબીયા મગનલાલ જીવરાજ પરિવાર દ્વારા-૧૨૫, ભુજ મર્કેન્ટાઇલ બેંક મહેન્દ્રભાઇ મોરબીયા -૭૧૧, કોટક નગર સોસાયટી માધાપર-૩૦૦, ડાયમંડ મહિલા મંડળ ભુજ દ્વારા ૩૦૦, યદુનંદન યુવક મંડળ કોટાય-૫૦૦, લોકોની તૈયાર રસોઇ બનાવી વિતરણ માટે માનવજ્યોતને આપવામાં આવતાં સંસ્થાએ આ રસોઇનું ગરીબોનાં ઝુંપડે જઇ વિતરણ કર્યું હતું.

જુદા-જુદા વિસ્તારોનાં મહિલા મંડળો, યુવક મંડળો, ટ્રસ્ટો આ સેવા કાર્યમાં જાડાઇ સેવાયજ્ઞને આગળ ધપાવી રહ્યા છે. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, ગુલાબ મોતા, કનૈયાલાલ અબોટી, રફીકબાવા, પ્રવિણ ભદ્રા, વનરાજસિંહ જાડેજા, જીતેન્દ્ર ધારશીં શાહ, વિનોદ ચુનીલાલ મહેતા, રાજેશ અમરચંદ મહેતા, મનસુખ નાગજી વોરાએ સંભાળી હતી.