૧૨ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં ઘર તરફ પ્રયાણ કર્યું અલ્લાહબાદનો અજ્યસિંઘ ૩૫ વર્ષે ઘરે પહોંચશે

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૧૦ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજથી ૨ મળી ૧૨ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની વર્ષો પછી પોતાનાં ઘર તરફ જવા પ્રયાણ કર્યું હતું. અહીંથી તેઓને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત મોકલવામાં આવેલ. ત્યાંથી તેઓને તેમનાં ઘર સુધી પહોંચાડવામાં આવશે.

આ ૧૨ માનસિક દિવ્યાંગોને શુભેચ્છા પાઠવવા એક કાર્યક્રમ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન. પટેલસાહેબ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી અરવિંદભાઇ રોહડિયા, પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી ડી.એમ. ગોયેલ સાહેબ, જારાવરસિંહ રાઠોડ, પરાક્રમસિંહ જાડેજા, સમરથસિંહ સોઢાનાં મુખ્ય અતિથિપદે યોજાયો હતો.

પ્રારંભે સંસ્થાનાં મંત્રી શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું.  ગીતાબેન ઝવેરી તથા જયાબેન મુનવરે સ્વાગત ગીત રજુ કર્યું હતું.

સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર તથા સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની અત્યાર સુધી થયેલ પ્રવૃત્તિની સંપૂર્ણ માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે, માત્ર છેલ્લા ૨ વર્ષનાં ગાળામાં સંસ્થાએ કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૨૬૫ માનસિક દિવ્યાંગોને મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર અપાવી તેઓને સ્વસ્થ બનાવી, તેઓનું ઘર શોધી આપી પરિવારજનો સાથે ફેર મિલન કરાવ્યું છે. જેમાં શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતનો હરહંમેશ સિંહ ફાળો રહ્યો છે. ઉત્તરપ્રદેશનાં ૬, ઓરિસાનો-૧, આંધ્રપ્રદેશનો-૧, મહારાષ્ટ્રના-૨, તથા બિહારનાં-૨ મળી ટોટલ ૧૨ માનસિક દિવ્યાંગો નવા વ†ોમાં સજ્જ થઇ વર્ષો પછી પોતાનાં પરિવારજનો પાસે જવા પ્રયાણ કરી રહ્યા છે. અલ્લાહબાદનો અજ્યસિંઘ સાડાત્રણ દાયકા પછી પોતાનાં ઘરે પહોંચશે.

આ પ્રસંગે ઉદ્‌બોધન કરતાં સામાજિક અગ્રણી શ્રી જારાવરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દરેક જીલ્લાઓમાં આવી સંસ્થાઓની જરૂરત છે. માનવસેવા, જીવદયા અને દરેક ક્ષેત્રોમાં કામગીરી કરતી માનવજ્યોત સંસ્થા અનેક વિધ પ્રવૃત્તિઓ કરી જરૂરતમંદ લોકો સુધી પહોંચી છે. ગુમ થયેલા લોકોને શોધી આપવાનું કાર્ય અદ્‌ભુત છે.

લોકપ્રિય ભજનીક શ્રી સમરથસિંહ  સોઢાએ જણાવ્યું હતું કે, સંસ્થાનું કાર્ય જાઇ વંદન કરવાનું મન થઇ જાય. ઉત્તમમાં ઉત્તમ કાર્ય સંસ્થા કરી રહી છે.

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન. પટેલસાહેબે જણાવ્યું હતું કે, વેદની અંદર એવું કહે છે કે, સકામ કર કે નિષ્કામ કર. માનવ બે કર્મ કરતો હોય છે. ગીતા અને વેદનો સાર સમજાવી રામાયણનાં ઉદાહરણ પૂરા પાડ્યા હતા. ભૂખ્યાનાં લક્ષણ જણાવી કહ્યું હતું કે, આપનાર માનવી ભાવથી આપે છે. ત્યારે ભૂખ્યાનાં અંતરથી આશિર્વાદ નીકળે છે. તેવું જણાવી અનેકવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.ઘરે જઇ રહેલા માનસિક દિવ્યાંગોને ઉપ સ્થત આગેવાનોએ ખેસ પહેરાવી-મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમનું  સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જાષીએ કરેલ. વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, ભવાનજીભાઇ ઠક્કર, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, દિલીપ ભટ્ટ, વાલજી કોલી, નીતીન ઠક્કર, જેરામ સુતાર, મુળજીભાઇ ઠક્કર, કનૈયાલાલ અબોટી, વિનોદ મારાજ તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.