<p>યુનિસેફ, કર્ણાવતી યુનિવર્સીટી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજ્યનાં ૩૩ જિલ્લાઓના ૧૧૬ પેરાલીગલ વોલીન્ટરોને ચાઇલ્ડ પ્રોટેકશન સીસ્ટમની ટ્રેનીંગ આપવાનો કાર્યક્રમ યુનાઇટેડ વર્લ્ડ સ્કુલ ઓફ લો કર્ણાવતી યુનિવર્સીટી ગાંધીનગર યોજાયો હતો.</p>
<p>કાર્યક્રમનું અતિથિવિશેષ પદ રાજ્ય લીગલ સર્વિસ ઓથોરીટેનાં શ્રી આર.કે. મોઢ, કર્ણાવતી યુનિવર્સીટીનાં પ્રોવોસ્ટ ડો. દિપક શિશુ, યુનિસેફ ગુજરાતનાં ચિફ ઓફિસર ડો. લક્ષ્મી ભવાની, યુનાઇટેડ વર્લ્ડ સ્કુલ ઓફ લોનાં વર્કશોપ કોડીનેટર દેબરાતી હલદેર તથા ડો. સરોજ બોહરાએ શોભાવ્યું હતું.</p>
<p>પ્રારંભે સૂરત ટયુશન કલાસીસનાં મૃત્યુ પામેલ બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. મહાનુભાવોનાં વરદ્ હસ્તે દિપપ્રાગટ્ય કરવામાં આવેલ. યુનિસેફ ગુજરાતનાં ચાઇલ્ડ પ્રોટેકેશન સ્પેશિયાલીસ્ટ વેદપ્રકાશ ગોતમે વર્કશોપનું મહત્વ સમજાવ્યું હતું.</p>
<p>બાળકોનાં અધિકાર, બાળ લગ્નો, બાળસુરક્ષા, માનવ અધિકાર, બાળ મજુરી, પાલક માતા પિતા યોજના, સર્વ શિક્ષણ અભિયાન, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય, બાળ હિંસા તથા ડીસીપીયુ, સીડબલ્યુસી, ડીએલ.એસ.એ., પીએલવી. વિગેરે વિષયો ઉપર સમજ સાથે માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવેલ. બે દિવસનાં વર્કશોપમાં જુદા-જુદા અનુભવી ૧૬ વક્તાઓએ સરળ ભાષામાં પેરાલીગલ વોલીન્ટીયરોને જુદી જુદી કલમોની પૂરી સમજ આપી હતી. પોકસો એકટ, જેજે એકટ તથા વિવિધ કામગીરીની માહિતિઓ પૂરી પાડવામાં આવેલ. ભુજ,પાલીતાણા, રાજકોટનાં પેરાલીગલ વોલીન્ટરોની કામગીરીને મંચ ઉપરથી બિરદાવવામાં આવેલ.</p>
<p>જુદા જુદા વિષયોનાં તજજ્ઞો વેદપ્રકાશ, હેમાલીબેન, લક્ષ્મીભવાની, શશાંક શેખર, ડો. કલ્પેશ ગુપ્તા, વસીમભાઇ, ડો. દેબરાતી, ડો. આશા વર્મા, ડો. પરનાં મુખરજી, ડો. અકિલ સૈયાદ, શ્રુત બ્રહ્મભટ્ટ તથા અન્ય વક્તાઓએ પેરાલીગલ વોલીન્ટરોને જુદા-જુદા કાયદાઓ અંગે સમજ પૂરી પાડી હતી.
પેરાલીગલ વોલીન્ટોને લોકો વચ્ચે રહી કામ કરવાની, બાળ લગ્નો તથા બાળ હિંસા અટકાવવા, બાળ મજૂરોને મજુરી કામમાંથી મુક્ત કરાવવા, દરેક લોકો સાથે જાડાઇ કામ કરવા, જુદા-જુદી શિબિરો અને વિવિધલક્ષી કાર્યક્રમો યોજવા સમજ અપાઇ હતી.</p>
<p>પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન પેરાલિગલ વોલીન્ટરોએ પૂછેલા પ્રશ્નો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન રાધિકારાવ તથા સ્ને શાહે કર્યું હતું. જયારે આભાર દર્શન ડો. દેબરાતી હલદેરે કરેલ.</p>
<p>કચ્છમાંથી પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ બે દિવસની ટ્રેનીંગ મેળવી હતી. ટ્રેનીંગનાં અંતે દરેક પેરાલીગલ વોલીન્ટરોને પ્રમાણપત્રો આગેવાનોનાં વરદ્ હસ્તે એનાયત કરાયા હતા. દરેક વોલીન્ટરોની કામગીરીની નોંધ લઇ કામગીરીને બિરદાવવામાં આવેલ.</p>