૧૦૦ પરિવારોનાં ઝુંપડા તાલપત્રીથી ઢાંકી ઠંડી સામે રક્ષણ અપાયું ૧૦૦ રાશનકીટ વિતરણ કરાઇ

“માનવસેવા મિત્ર સર્કલ,, દ્વારા વિવિધ મિત્ર વર્તુળનાં સહયોગથી અને માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ઝુંપડામાં રહેતા ૧૦૦ ગરીબ પરિવારોને તાલપત્રી તથા રાશનકીટ અર્પણ કરાઇ હતી.

શિયાળાની ઠંડીમાં બાળકો અને આખા પરિવારને ઠંડી સામે રક્ષણ મળે એવા હેતુ સાથે ઝુંપડાને ઉપરથી ઢાંકવા માટે ૧૦૦ પરિવારોને તાલપત્રી તથા દરેકને પાંચ કિલો ઘંઉ લોટ, પાંચ કિલો બાજરા લોટ, બે કિલો ચોખા સાથેની રાશનકીટ અર્પણ કરવામાં આવતાં ઝુંપડા-ભૂંગામાં રહેતા ગરીબ પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. માનવસેવા મિત્ર સર્કલે ઝુંપડા અને ભુંગામાં રહેતા ગરીબ પરિવારોની વ્હારે આવી માનવતાનું અતિ ઉત્તમ કાર્ય કર્યું હતું. દરેકનાં ઝુંપડા ઢંકાઇ જતા આવા પરિવારોને ઠંડી સામે રક્ષણ મળશે.

વિતરણ વ્યવસ્થા રાજ અખાણી, વિતેશ ઠક્કર, વિરલ કોઠારી, સાવન ત્રિપાઠી, હાર્દિક સુથાર, ચિરાગ ઠક્કર, પાર્થ ઠાકર, સમીર ઠક્કરે સંભાળી હતી.